Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લાયન્‍સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચોથો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦: લાયન્‍સ ક્‍લબ ઓફ મોરબી સીટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્‍ટ હોસ્‍પિટલ દ્વારા લાયન અમરસીભાઈ અમૃતિયા પરિવારના સહયોગથી વિનામુલ્‍યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્‍ય પીપળીયા ચાર રસ્‍તા નજીક આવેલ કેપી ટેક નોનવુવન ઈન્‍ડિયા પ્રા.લી. ખાતે યોજાયો હતો

આ કેમ્‍પમાં કુલ ૨૧૦ દર્દીઓના વિનામૂલ્‍યે ચેકઅપ કરવામાં આવ્‍યા હતા જેમાં ૬૧ દર્દીને શ્રી રણછોડદાસજી હોસ્‍પિટલ રાજકોટ દ્વારા વિનામુલ્‍યે મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવેલ આ કેમ્‍પમાં ઉપસ્‍થિત લાયન્‍સ કલબ ઈન્‍ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્‍છ) નાં દ્વિતિય વાઈસ ડીસ્‍ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્‍પનાં દાતા લાયન અમરશીભાઈ અમૃતિયા પરિવારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો

આ વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ કેમ્‍પ દર મહિનાની દસ તારીખે ચાચાવદરડા પીપળીયા ચોકડી, કેપી ટેક નોનવુવન ઈન્‍ડિયા પ્રા.લી.કંપની ખાતે યોજાશે કે નિશુલ્‍ક કેમ્‍પનો માળિયા અને આમરણ ચોવીસીના ગ્રામજનોએ લાભ લેવા જણાવ્‍યું છે આ કેમ્‍પમાં લાયન્‍સ કલબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી લાયન કેશુંભાઈ દેત્રોજા, લાયન નાનજીભાઈ મોરડિયા, લાયન મહાદેવભાઈ

ચિખલિયા, લાયન પ્રાણજીવનભાઈ રંગપરીયા, લાયન રશ્‍મિકાબેન રૂપાલા, હળવદ લાયન્‍સ કલબનાં પ્રમુખ ગીરીશભાઈ સાધુ, ગઢીયા લિયો પ્રેસિડેન્‍ટ ક્રિષ્‍ના રૂપાલા સહિતના સભ્‍યોએ ઉપસ્‍થિત રહીને કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો.

(5:29 pm IST)