Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીના લાયન્સનગર વિસ્તારના આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારના રહેવાસી ૪૩ વર્ષીય આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શનાળા રોડ પર લાયન્સનગર શેરી નં ૦૨ રામાપીર મંદિર પાસે રહેતા કમલેશ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૩) નામના આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આધેડે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

 

(10:01 am IST)