Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કચ્છના સૂરજબારી પાસે ટ્રક નીચે કચડાઇ જતાં ૨૦ ઘેટાંના મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 કચ્છના સૂરજબારી પાસે પૂરઝડપે આવતું ટ્રકે ઘેટાં ના વગને હડફેટે લેતાં ૨૦ ઘેટાંઓનાં મોત થયા હતા. પોતાના ઘેટાં બકરાં સાથે રબારી પરિવાર પરત વતન કચ્છ ફરી રહ્યો હતો ત્યારે માળીયા સામખિયાળી હાઈવે ઉપર સૂરજબારી પાસે આ દુર્ઘટના બની હતી. રબારી પરિવારે નાસી જતી ટ્રકને અટકાવી અને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. માલધારી પરિવાર ઉપર પશુઓના મોતને કારણે આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતમાં પાંચેક ઘેટાં ઘાયલ થયા છે.

(10:15 am IST)