Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલની મહીલા કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઇ

ગોંડલ તા. ૨૦ :    મ્‍યુનિસિપલ મહીલા કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી સેમિનારનું આયોજન કરાયુ હતુ.

આ સેમિનારમાં તજજ્ઞ વિષ્‍ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જનરલ નોલેજ તથા કારકીર્દી  અંતર્ગત અંદાજે ૩૦૦ પુસ્‍તકો ના અધ્‍યન બાદ એકલાખ  જવાબોનું નિર્માણ કરાયુ હોય વિદ્યાર્થીનીઓ ને સચોટ અને સરળ શૈલીમાં માર્ગદર્શન અપાયુ હતુ. આમ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં ભાગ લેવા ઇચ્‍છુક વિદ્યાર્થીનીઓને મહત્‍વ નું માર્ગદર્શન સાંપડ્‍યુ હતુ. આયોજન ને સફળ બનાવવા પ્રિન્‍સિપાલ ડો.મિનાક્ષીબેન ભટ્ટ તથા પ્રા.વડુકીયા એ જહેમત ઉઠાવી હતી.

(12:02 pm IST)