Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

માળીયાહાટીનામાં આરએએફ ગ્‍લોબલ દ્વારા નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો

 માળીયાહાટીનામાં આજે વણિક વંડી  ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટ અને આર. એ એફ ગ્‍લોબલ અને આશિર્વાદ ચેરિટેબલ ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે સવારના ૯ થી બપોરના ૧૨ વાગ્‍યા સુધી વિના મૂલ્‍ય નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો હતો આ કેમ્‍પમાં ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. અને. ૪૭ દર્દી ઓ ને ઓપરેશન માટે વિના મૂલ્‍યે રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્‍પિટલ -રાજકોટ લઇ જવાય છે  કેમ્‍પ ને સફળ બનાવવા  મહેન્‍દ્રભાઈ ગાંધી તથા આર એ એફ ગ્‍લોબલના જગદીશભાઈ મજેઠીયા રંજનબેન ગોસ્‍વામી ખ્‍યાતિબેન નેના, નજમાબેન પરમાર, રઘુભાઈ દવે, અશોકભાઈ ભાટ, સમસુદ્દીનભાઈ મુલાણી ભાયલભાઈ દરજી  સહિતના સેવાભાવિ લોકો એ સેવા આપી હતી.  (તસ્‍વીર-અહેવાલ : મહેશ કાનાબાર, માળીયા હાટીના)(

(10:59 am IST)