Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મુળીના સરલાની બે બાળકો સાથે ગુમ પરિણીતાનો ૪૦ દિ'થી પતો નથી

વઢવાણ,તા. ૨૦: મુળી તાલુકાનાં સરલાનાં રહેવાસી ઉમેદભાઈ રીજુભાઈ મકવાણાની ધર્મપત્‍ની પુજાબેન ઉ.૨૪ સાથે પુત્ર નયન ઉ. ૫ બીજો પુત્ર પ્રિન્‍સ ઉ.૯ માસ સરલાથી તા.૮-૧-૨૩ નાં રોજ રાજકોટ જવા નીકળ્‍યા હતાં અને ગુમ થયેલા એ બાબતે મુળી તાલુકા પોલીસ મથકે તા.૯-૧-૨૩ નાં ગુમસુધા ફરીયાદ નોંધાવી હતી જેને આજે ૪૦ દિવસ જેટલો સમય થવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્‍યારે યુવાન પત્‍ની અને બાળકો માટે પોલીસ સ્‍ટેશનમાં ધક્કા ખાવા મજબુર બન્‍યો છે અને પોલીસની નિષ્‍ક્રિય કામગીરી બહાર આવી છે અને યુવાનનાં આંખમાં સતત આશુ ટપકી રહ્યા છે અને બાળકોને મેળવવા માટે ગામે ગામ ફરી રહ્યા છે ત્‍યારે આ યુવાનને ન્‍યાય આપી બાળકો પત્‍નીની સત્‍વરે ભાળ મળે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

(11:44 am IST)