Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

શ્રીમદ ભાગવત કથા ભગવાનનું વાંગમય સ્‍વરૂપ : જીજ્ઞેશ દાદા

છઠ્ઠા દિવસની કથામાં ભાવનગરના યુવરાજની વિશેષ ઉપસ્‍થિતિ

ભાવનગર-કુંઢેલી,તા.૨૦ : તળાજા  તાલુકાની ગિરિકંદરાઓમાં કુંઢડા ગામ પાસે આવેલ ગૌધામ કોટિયા આશ્રમ ખાતે ગત મંગળવારથી શરું થયેલું ભાગવત કથાનું સુંદર આયોજન આગળ વધી રહ્યું છે. 

ભાવનગરના મહારાજા યુવરાજશ્રી જયવીર સિંહજી ગોહિલ વિશેષ ઉપસ્‍થિત રહ્યાં હતાં. તેમણે તેમના વક્‍તવ્‍યમાં કહ્યું કે એક નાગરિક તરીકે આપને મારી જ્‍યાં જરૂર પડે ત્‍યાં હું ભાવનગર રાજ્‍યના કોઈપણ લોકો માટે નાની મોટી સેવા કરવા માટે હંમેશા તત્‍પર છું. સમગ્ર ભાવનગર અને ગુજરાતના વિકાસની કામના કરું છું. અહીં આ ગૌધામમા ગાયની સેવા થઈ રહી છે તે જાણીને હું આશ્રમની પ્રવળત્તિને બિરદાવું છું. અને પૂજ્‍ય લહેરગીરી બાપુની આ સેવાની ધૂણીને નતમસ્‍તકે વંદન કરું છું.

  જાણીતા ભાગવત કથાકાર પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધેએ પોતાની વાણીને પવિત્ર કરતાં કહ્યું કે, ભાવનગરનું પ્રદાન દેશ માટે ઓછું નથી. મહારાજા કળષ્‍ણકુમાર સાહેબને જેટલા વંદન કરીએ એટલાં ઓછાં છે. હું તેમને ભારત સરકાર તરફથી ભારત રત્‍ન સન્‍માન મળે તેવો વ્‍યાસપીઠથી અનુરોધ કરી રહ્યોં છું. યુવરાજ શ્રી જયવીર સિંહજીની ઉપસ્‍થિતિએ સૌને ભાવવિભોર બનાવ્‍યાં છે. વ્‍યાસપીઠ આપની ભાવનગર રાજ્‍ય માટેની બલિદાની માટે અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવે છે.પુ. જીગ્નેશ દાદા એ ભાવનગર મહારાજા સાહેબના ઉદાહરણો દ્વારા તેમના વ્‍યક્‍તિત્‍વને ઉજાગર કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો.

 ભાગવત કથાને આજના દિવસમાં પ્રવેશ કરાવતા વ્‍યાસપીઠથી જીગ્નેશ દાદા એ કહ્યું કે ગોવર્ધન પર્વતની કથા એક એવી કથા છે કે જેમાં મેઘાડંબરમાં ઈશ્વરે સૌને બચાવી લીધાં. એટલું જ નહીં ગોવર્ધન જેટલાં વ્રજવાસીઓ તેની નીચે આવ્‍યાં એટલો તે પહોળો થતો ગયો. એનો અર્થ એવો થાય કે ઈશ્વર સૌને રક્ષિત તો કરે છે પરંતુ આ શુભ કાર્ય માટે જ્‍યારે જ્‍યારે પોતાની ચેતનાની તાકાત લગાવવાની જરૂર પડે તો તે ગોવર્ધનને મોટો પણ કરી શકે છે. ભાગવત કથાના માધ્‍યમથી હું વિદ્યાર્થીઓ કલ્‍યાણ માટે ઊભી થતી વિદ્યાપીઠ ૅતથાસ્‍તુૅ માટે દાન સ્‍વીકારું છું. પરંતુ આ ગોધામમાં જે ગાયની સેવા થઈ રહી છે.તેથી હું અહીંથી કોઈ દાન સ્‍વીકારવાનો નથી.  પરંતુ અહીં જે કંઈ સેવા -ાપ્ત થશે તે બધી જ ગૌમાતાને અર્પણ કરવામાં આવશે. આપણે સંકલ્‍પ કર્યો છે કે ૨૦૦ ગાયો ની સેવા કરવા માટે એક ગાય માટે રૂપિયા ૧૧,૦૦૦ ની જરૂર પડે. આ સંકલ્‍પમાં ૧૦૦ ગાય ની સેવા આપનારા દાતાઓ -ાપ્ત થઈ ચૂકયાં છે. આજે  આદરણીય જયવીરસિંહજીને જ્‍યારે  વ્‍યાસપીઠે  વિનંતી કરી. ત્‍યારે તેમણે સહર્ષ રીતે ૧૦૦ ગાયની સેવા સ્‍વીકારી હતી. ભાગવત કથાએ ભગવાનનું વાંગમય સ્‍વરૂપ છે અને તેના  બાર સ્‍કંધ એ સ્‍વરૂપોના અંગો છે. અને તેથી દસમ્‍સ્‍કંધ એ ભગવાનનું હૃદય છે. આજે કથાએ વિરામ લીધો છે.

(11:46 am IST)