Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ઉનાઃ ડો.ચગના આપઘાત કેસમાં ન્‍યાયિક તપાસ કરવા લોહાણા મહાજન દ્વારા માંગણી

(નવીન જોષી દવારા) ઉના, તા., ૨૦: લોહાણા મહાજન ગીર ગઢડા દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆતમાં વેરાવળના ખ્‍યાતનામ ડો.અતુલભાઇ ચગના આપઘાત કેસની તટસ્‍થ અને ન્‍યાયીક તપાસ થવા બાબતે જણાવ્‍યું છે.

ગીર સોમનાથ વિસ્‍તારના લોકપ્રિય ડો.અતુલભાઇ ચગની આત્‍મહત્‍યાના સમાચાર આઘાતજનક છે. જે સંજોગોમાં  તેમણે આપઘાત કરવો પડયો તે અત્‍યંત દુઃખદ બાબત છે. તેઓ એક ઉમેદા વ્‍યકિત હતા. કોવીડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરી હતી. કોવીડના સમયમાં તેમણે અનેક માનવ જીંદગીઓ બચાવી હતી. ગરીબોના બેલી એવા ડો.ચગ લોહાણા સમાજના અગ્રણી સમાજોપયોગી અને લોકપ્રિય વ્‍યકિત હતા. ડો. અતુલભાઇ ચગના રહસ્‍યમય મૃત્‍યુ અંગે ન્‍યાયીક અને તટસ્‍થ તપાસ થાય તેમજ દોષીતોને તાત્‍કાલીક અસરથી પકડવામાં આવે તેવી માંગણી લોહાણા સમાજ-ગીગઢડા દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆતમાં કરાય છે.

(11:48 am IST)