Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં મહાશિવરાત્રીએ શિવ શોભાયાત્રા નીકળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૦ : છોટી કાશી ગણાતા જામનગરમાં હિન્‍દુ ઉત્‍સવ સમિતિ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી શિવ શોભાયાત્રાનું આયોજન કરાય છે. તે મુજબ શહેરના રાજાશાહી વખતના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી ચાંદીની પાલખીમાં સોનાના આભૂષણો સાથે સજ્જ આશુતોષ મહાદેવના સ્‍વરૂપ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ, હિન્‍દુ સેના, શિવસેના, નાગેશ્વર મિત્ર મંડળ સહિત વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્‍થાઓના ધાર્મિક ફ્‌લોટસો સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ખાસ આ વર્ષે ઉજ્જૈન મહાકાલનું લકી ગ્રુપનું ડમરું વાદન લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. શોભાયાત્રાના રૂટ પર ખાસ ઢોલ અને ડમરુંના તાલે મહાદેવમાં લીન થતા ભક્‍તો જોવા મળ્‍યા હતા.

(1:04 pm IST)