Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરના રાણારોજીવાડામાં એક જમીન ર આસામીઓને વેચાણ કરીને છેતરપીંડી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૦ : નજીકના રાણારોજીવાડામાં ધુળસિયાવાળા નામથી ઓળખાતી ખેતીની જમીન બે આસામીઓને વેચાણ કરીને રર.૯ર લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ બગવદર પોલીસ સ્‍ટશેનમાં નોંધાઇ છે

ખાંભોદર ગામની ધાર સીમમાં રહેતા હાથિયાભાઇ કચરાભાઇ ગોઢાણીયા નામના આધેડે ફટાણા ગામના અરભમ જીવા  મોઢવાડીયા વિરૂધ્‍ધ એક જમીન ર આસામીઓને વેચીને છેતરપીંડી - વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્‍યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં અરભમ મોઢવાડીયાએ રાણા રોજીવાડા ગામની ધુળસિયાવાળુ નામથી ઓળખાતી ખેતીની જમીન હાથિયાભાઇને વેચી દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો.

આ જમીન પૈકીની ઘણી જમીન જાણી જોઇને ભાણવડના વેરાડ ગામે રહેતા દેવસીભાઇ મેણંદભાઇ ઓડેદરાને અઘાટ વેચાણ દસ્‍તાવેજ કરીને રૂા.૩૧.૭૭ લાખમાં વેચી નાખી હતી અને હાથિયાભાઇ સાથે રૂા.રર.૯ર લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

(1:05 pm IST)