Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો

સાવરકુંડલાઃ શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્‍ટ સાવર કુંડલા અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્‍ટ સુદર્શન નેત્રાલય હોસ્‍પીટલ અમરેલી દ્વારા સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે વિનામુલ્‍યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્‍પનું આયોજન થયેલ હતું.  આ કેમ્‍પ ની અંદર ઓ.પી.ડી.માં ૧૦૬ દદીઁઓને લાભ લીધો હતો. તેમાંથી મોતિયાના ઓપરેશન   લાયક ૨૭ દર્દીઓને ફ્રી માં ઑપરેશન કરી આપવામાં આવ્‍યા હતા. કેમ્‍પનુ દિપ પ્રાગટય લાયન્‍સ કલબ ઓફ અમરેલી  સિટી માંથી લાયન્‍સ એમ. એમ. પટેલ  નરેશભાઈ જોઞાણી તથા ભગવાનભાઈ કાબરીયા સામાજિક સેવા સંસ્‍થાન બચુભાઈ જીવરાજભાઈ સ્‍મારક ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી વિશાલભાઇ વ્‍યાસ,  જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, મેહુલભાઈ ત્રિવેદી તથા સુદર્શન નેત્રાલયના કર્મચારી કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમતભાઈ કાછીડીયા અને કબીર ટેકરીના સ્‍વયંમ સેવકો  વગેરેએ સેવા આપી હતી...આ તકે સવારકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી નગરપાલિકા સદરય પીયુષ ભાઇ મશરૂ, કમલેશ ભાઈ રાનેરા ઉપસ્‍થીત રહ્યા હતા.(દીપક પાંધીઃ સાવરકુંડલા)

(1:21 pm IST)