Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદર પાસે વિસાવાડાના કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્‍યોઃ આપઘાત કે અકસ્‍માત..? તપાસ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૦ : નજીકના વિસાવાડા (મુળ દ્વારકા)ના વાડી વિસ્‍તારમાં રહેતા કરશનભાઇ ભીખાભાઇ ઓડેદરા (ઉ.વ.૪પ) નામના યુવાનનો મૃતદેહ વાડીના કુવામાંથી મળી આવેલ છે.  પોલીસે આ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ મોકલી આપીને આ આપઘાત હોવાનું પ્રાથમીક તારણ મેળવ્‍યું છે.

વિસાવાડાના વાડી વિસ્‍તારમાં રહેતા કરશનભાઇ ભીખાભાઇ ઓડેદરા ઉ.વ.૪પનો મૃતદેહ મળ્‍યાની જાણ થતાં પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇને કુવામાંથી મૃતદેહને બહાર કાઢીને પોરબંદર સરકારી હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

પોલીસે વાડી વિસ્‍તારમાં લોકોની પુછપરછ બાદ કરશનભાઇ ભીખાભાઇએ આપઘાત કર્યો હોય તેવું પ્રાથમીક તારણ મળ્‍યું છે અને કારણ અંગે તપાસ કરી છે. જે સ્‍થળે બનાવ બન્‍યો તે વાડીની બાજુના મકાનમાં રહેતા વિદ્યાર્થીઓને પાણીમાં કશુંક પડયાનો અવાજ થતાં કુવા પાસે દોડી ગયા હતા અને મૃતદેહ જોવા મળતા ગ્રામ્‍યજનોને જાણ કરી હતી.

(1:23 pm IST)