Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગીરનાર પર પોલીસના રીપીટર સ્‍ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

જુનાગઢઃ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ આજે ગીરનાર પર પોલીસના કોમ્‍યુનિકેશન માટેના રીપીટર સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ગિરનાર પર અંબાજી ખાતે વર્ષોથી પોલીસનું વાયરલેસ સેવાઓ માટેનું રીપીટર સેન્‍ટર સ્‍થપાયેલું છે. અગાઉનું સ્‍ટેશન જુનુ થઇ જતા પોલીસને સેવામાં સવલત મળી રહે તે માટે અધ્‍યક્ષતન રીપીટર સેન્‍ટર બનાવવામાં આવ્‍યું છે. ગૃહ રાજયમંત્રીશ્રીએ ગિરનાર પર અંબાજી માતાના દર્શન કર્યા બાદ અહીના લોકાર્પણ કરી વાયરલેસ સેવા સહિતની વિવિધ સેવાનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:44 pm IST)