Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

બિલખામાં લોહાણા મહાજન તથા બ્રાહ્મણ સમાજ દ્વારા ડો. અતુલ ચગને ન્‍યાય અપાવવા આવેદન પત્ર

જુનાગઢ : બિલખા લોહાણા મહાજન તથા બ્રહ્મસમાજ દ્વારા બિલખાથી બાઇક રેલી સાથે જુનાગઢ કલેકટરને આવેદનપત્ર આપેલ સઘન નિષ્‍પક્ષ તપાસ માટે માગણી કરેલ છે.  નિર્દોષ ડોકટરનો સુસાઇડ નોટને મરણોતર ડી.વી.(નીવેદન) ગણી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ભોગ બનનાર પરીવારને ન્‍યાય મળે તે માટે બિલખા તથા ઓફ ઇન્‍ડિયા રઘુવંશી સમાજની માગણી છે આ રેલીમાં લોહાણા મહાજન પ્રમુખ હિતેષભાઇ કથરીયા, ઉપપ્રમુખ ઉજેશભાઇ સોઢા, સહખજાનચી ભાવેશભાઇ, સહમંત્રી, સંજયભાઇ સંયુકત કારોબારી કેતનભાઇ લુંકા, સામતભાઇ ગણાત્રા, માજી સરપંચ અને સૌરાષ્‍ટ્ર ભુમીના બ્‍યુરોચીફ, મહેન્‍દ્રભાઇ નાગ્રેચા,સાથે બિલખા લોહાણા સમાજ બહોળી સંખ્‍યામાં જોડાયેલ હતો કલેકટર કચેરીએ આવેદન પત્ર આપેલ  સાથે યોગ્‍ય તપાસની માંગણી કરેલ હતી.

(1:47 pm IST)