Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં ધ્‍વજારોહણ તથા ડમરૂવાદન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦ જામનગર શહેરમાં મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વ તેમજ રામનવમીના પર્વના દિવસે પંચેશ્વર ટાવર ના ચોકમાં મધ્‍યમાં પ્રસ્‍થાપિત કરાયેલા ધ્‍વજ સ્‍તંભમાં ધ્‍વજારોહણ કરવામાં આવે છે અને આ જ પ્રકારે વિશાળ કદનો ભગવો ધ્‍વજ તૈયાર કરીને તેનું આરોહણ કરવામાં આવે છે, તે પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી હતી, અને રાત્રિના ૧૨ વાગ્‍યાના ટકોરે મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્‍યાસ (મહાદેવ) દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું.

આ વેળાએ ઉજ્જૈન મહાકાલ થી ખાસ પધારેલા લક્કી ગુરુ ના ગ્રુપ દ્વારા ડમરૂવાદન કરવામાં આવ્‍યું હતું, અને સમગ્ર વાતાવરણ શિવમય બન્‍યું હતું.

ઉજ્જૈન મહાકાલ આરતી ગ્રુપના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક એવા લક્કી ગુરુ ઉપરાંત રીતિક સોલંકી, રાહુલ મારુ, રિતિક જૈન, ભોલા માલવી, ગોકુલ ચૌહાણ, કેશવ પવાર, રાહુલ સરગરા, અમન મારુ, સંતોષ હેરમાં, મનોજ ઠાકુર અને સુરેશ વાઘેલા સહિતના વૃંદ દ્વારા ડમરુવાદન ની સાથે ઝાંઝ- પખાલ અને ઢોલ ના તાલે જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મહાકાલ ની ધૂન વગાડીને સમગ્ર વાતાવરણ ના ઉર્જા ભરી દીધી હતી.

ઉજ્જૈન થી ૨૨ કલાકનો લાંબો પ્રવાસ ખેડીને એક પણ ક્ષણ નો વિરામ કર્યા વિના લકી ગુરુ અને તેમની ટીમેં જોરદાર ડમરુવાદન કરી ને જમાવટ કરી દીધી હતી. આ વેળાએ અનેક શિવભક્‍તો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા ગજવ્‍યા હતા.

(1:47 pm IST)