Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરના સ્‍વામિનારાયણ નગર વિસ્‍તારમાં એક ટ્રકે વીજ પોલ ભાંગી નાખતાં સમગ્ર વિસ્‍તારમાં અંધારપટ છવાયો

મોડી રાત્રી સુધી વિજ તંત્રએ કવાયત હાથ ધરી નવા વીજપોલ અને વાયર બદલી વીજ પુરવઠો પૂર્વવત બનાવ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦:  જામનગરમાં સ્‍વામિનારાયણ નગર વિસ્‍તારમાં બેફામ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે એક વીજ પોલને ભાંગી નાખ્‍યો હતો, જેના કારણે અન્‍ય ત્રણ વીજપોલ ના વીજ વાયરો ખેંચાઈ જવાના કારણે સમગ્ર વિસ્‍તારમાં અંધારપટ છવાયો હતો. રવિવારની મોડી રાત્રે વીજ તંત્રની પાંચ કલાકની જહેમત પછી વીજ પુરવઠો પૂર્વવત બન્‍યો હતો.

જામનગરના સ્‍વામિનારાયણ નગર વિસ્‍તારના રવિવારે સાંજે સાતેક તથા નવા વીજ વાયરો કઢાવ્‍યા હતા, અને સતત સાડા પાંચ કલાકની જહેમત લઈને અડધી રાત્રે વીજ પુરવઠો પૂર્વવત બનાવ્‍યો હતો.

ટ્રક ચાલકની બેદરકારીના કારણે સ્‍વામિનારાયણ નગર વિસ્‍તારના રહેવાસીઓએ સાડા પાંચ કલાક સુધી અંધારપટ્ટનો સામનો કરવો પડ્‍યો હતો. વીજતંત્ર દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(1:49 pm IST)