Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ખંભાળીયાના શીવ મંદિરોમાં ભવ્‍ય દર્શન તથા ચાર પ્રહર આરતીમાં હજારો ભાવિકો ઉમટયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. શીવ રાત્રીના શીવ મંદિરોમાં ભવ્‍ય દર્શન યોજાયા હતા તથા ખંભાળીયા તથા આસપાસના શીવ મંદિરોમાં ચાર પ્રહરની આરતી પૂજામાં આ વખતે હજારો ભાવિકો ઉમટયા હતાં.

અહીંના પ્રસિધ્‍ધ ખામનાથ, રામનાથ, શણેશ્વર તથા પાળેશ્વર મંદિરે તો કતારો લાગીને ભાવિકો દર્શન માટે ઉમટયા હતા તો વડયાના ધીગેશ્વર મહાદેવ, સલાયા પાસે  પાળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ, વજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ વિ. મંદિરોમાં આખી રાત્રી દરમ્‍યાન ચાર પ્રહર આરતી સાથે નાળીયેર પાણી, પંચામૃત, શેરડીના રસ તથા વિવિધ રૂપે સોડસોપચાર પૂજા યોજાઇ હતી. જેમાં સવાર સુધી ભકતોએ પૂજા કરી હતી.

અહીંના ખામનાથ પાસે ઝાડખંડી પ્રાચીન મહાદેવના મંદિરે શાષાી ભરતભાઇ દ્વારા ચાર પ્રહર આરતી તથા પૂજા યોજાઇ હતી. જેમાં પણ ભકતો ઉમટયા હતાં

(1:52 pm IST)