Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે તા. ૨૩ ફેબ્રુઆરીએ ઔધોગિક ભરતીમેળો યોજાશે

દેવભૂમિ દ્વારકા :જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. ખંભાળિયા  ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ૨૩-૦૨-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ કલાકે આઇ.ટી.આઇ. ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય ત્યારે ઇચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી –જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં સ્કીલ્ડ, અનસ્કીલ્ડ, સેલ્સ એકઝીક્યુટીવ જેવી જગ્યાઓ માટે રોજગાર વાંચ્છુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

 આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ના મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ના કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.

(12:47 am IST)