Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

વેરાવળના નાવદ્રા ગામે વાછરાદાદાની નૂતન મુર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા અને મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ મહોત્‍સવ

 પ્રભાસ પાટણ, તા.૨૦ : વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે શ્રી વાછરાદાદા ની નૂતન મુર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા  અને મહાકાળી માતાજી ના મંદિરે યજ્ઞ મહોત્‍સવ નુ સમસ્‍ત નાવદ્રા ગામ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમા ૨૧,૨૨ અને ૨૩ના વાછરાદાદાની નૂતન મુર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા  મહોત્‍સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને આ ત્રણે દિવસ બપોર ના ૧૧ થી ૨ સુધી પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ છે. બુધવારે મહાકાળી માતાજીના મંદિરે હોમ હવન યજ્ઞ સવારે ૮:૩૦ થી ૫:૩૦ સુધી તેમજ મહાપ્રસાદ સવારે ૮:૩૦ થી સાંજે ૫:૩૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.

બુધવારે રાત્રીના લોક ડાયરાનું  આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવેક સંચાલ,કોકીલ કંઠી રશમીતા બેન રબારી અને લોક સાહિત્‍યકાર રાજાભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા લોકો ને મોજ કરાવશે આ કાર્યક્રમના નિમંત્રક સમસ્‍ત નાવદ્વા ગામ અને પટેલ ગોવિંદભાઈ ભરડા છે.

(11:41 am IST)