Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જૂનાગઢમાં રાત્રે સાવરણી બનાવવાના કારખાનામાં આગ : રૂા. ૧૦ લાખનું નુકસાન

જીઆઇડીસી-૧ ખાતેની ઘટનામાં કોઇ જાનહાનિ નહિ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૦ : જૂનાગઢમાં રાત્રે સાવરણી બનાવવાના કારખાનામાં આગ લાગતા રૂા. ૧૦ લાખનું નુકસાન થયું હતું.

આગની ઘટનાની દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ પ્રકારની જાનહાનિ થઇ નહતી.

અત્રે જીઆઇડીસી-૧માં આવેલ રઝા એન્‍ટરપ્રાઇઝ નામનું સાવરણી બનાવવાનું કારખાનુ આવેલ છે. જેમાં રાત્રીના સમયે આગ ફાટી નીકળી હતી.

આગના કારણે જોતજોતામાં સાવરણીનો જથ્‍થો બળીને ખાખ થઇ ગયો હતો.

આ અંગેની જાણ થતાં મનપાનો ફાયર બ્રિગેડનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગથી રૂા. ૧૦ લાખનું નુકસાન થયું હતું. સદનશીબે કોઇને ઇજા થઇ ન હતી અને જાનહાનિ પણ થવા પામી ન હતી.

આગ લાગવા પાછળનું કારણ જાણવા મળેલ નથી પરંતુ કારખાનાના માલિકે કોઇએ જાણીબુઝીને આગ લગાવીને આક્ષેપ કર્યો હતો. આગની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી.

(10:24 am IST)