Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જામનગરની પરિણીતાને રાજકોટના સાસરીયાનો ત્રાસ

જામનગર, તા.૨૦: અહી ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસાયટી, વાછરા ડાડાના મંદિર પાસે રહેતી પુનમબેન જયદીપભાઈ પરમાર તે છગનભાઈ અરજણભાઈ નકુમની પુત્રી ઉ.વ.૩૦ એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેણીના પતિજયદીપભાઈ મગનભાઈ પરમાર, સસરામગનભાઈ ભોવાનભાઈ પરમાર, સાસુવસંતબેન મગનભાઈ પરમાર, રે. રાજકોટવાળાએ લગ્નજીવન દરમ્યાન નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી ગાળો બોલી અસભ્ મારકુટ કરી માનસીક દુઃખ ત્રાસ આપી ગુનામાં ગુન્હો કરેલ છે.

(3:27 pm IST)