Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના સંક્રમણને પગલે જામનગર ગ્રેઈન માર્કેટ તા, 31મી સુધી બપોરે 4 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય

ગ્રેઈન માર્કેટના સર્વે વેપારીઓની લાગણીને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે નિર્ણંય કરાયો

જામનગર : જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે દરરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે વેપારીઓની લાગણીને ધ્યાનમાં રાખીને ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મર્ચન્ટસ એસો,ના હોદ્દેદારો દ્વારા વેપારીઓના અભિપ્રાય મેળવીને સોમવારથી આગામી તારીખ 31 જુલાઈ સુધી સવારના 9 થી બપોરે 4 વાગ્યા સુધી વેપાર કરવા નિર્ણંય કરાયો છે બપોરે ચાર વાગય પછી માર્કેટમાં માલનું વેચાણ કે ડિલિવરી કરશે નહીં

 

(8:47 am IST)