Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભાવનગર જિલ્લામાં ૩૫ કેસો : એકનું મોત

જિલ્લામાં નોંધાયેલા ૯૩૬ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર તા.૨૦ : જિલ્લામા ૨૪ કલાક દરમિયાન ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૯૩૬ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૧  સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે.

જયારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના પાલડી ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, મહુવાના મોટા ખુડવડા ગામ ખાતે ૧, મહુવાના તરેડ ગામ ખાતે ૧, મહુવાના નેસવડ ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૨ તથા સિહોરના ભુતિયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૦ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૭૩ અને તાલુકાઓના ૫ એમ કુલ ૭૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.

આમ, જિલ્લામા નોંધાયેલા ૯૩૬ કેસ પૈકી હાલ ૪૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪૮૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:26 am IST)