Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સુરેન્દ્રનગરમાં કોરોના પોઝીટીવના ૧૧ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

સુરેન્દ્રનગર,તા.૨૦: કોરોના પોઝીટીવના ૧૧ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની સરોજબેન દોશી, વિપુલકુમાર દોશી, સગુણાબેન વોરા, પારૂલબેન શાહ, જીલય શાહ, સુલેમાનભાઈ મામાણી, વિલાશભાઈ આચાર્ય, નિતિનભાઈ શાહ, મુકેશભાઈ શાહ, પંકજભાઈ કોઠારી અને અમદાવાદ જિલ્લાના સરખેજના વતની કિરણભાઈ પરમાર ને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સદ્યન સારવાર બાદ આ અગિયાર  દર્દીઓને તાવ,શરદી,ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

(1:29 pm IST)