Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ નવ કેસઃ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી,તા.૨૦: મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૯ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિઠ્ઠલનગરમાં રહેતા ૩૭ વર્ષના પુરુષ,મોરબીના સ્કાય મોકલ પાછળ આવેલ હાડાની વાડીમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ઘ, મોરબીના રવાપર રોડ પર આવેલ સાયન્ટીફીક ની વાડીમાં રહેતા ૬૧ વર્ષના વૃદ્ઘ, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા ૫૫ વર્ષના પુરુષ, મોરબીના ગોકુલનગરમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષના પુરુષ, મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક આવેલ જેમ્સ પેલેસમાં રહેતા ૪૦ વર્ષના મહિલા, વાંકાનેરની લુહાર શેરીમાં રહેતા ૬૮ વર્ષના વૃદ્ઘ, હળવદના જુના ધનાળા ગામે રહેતા ૪૨ વર્ષના મહિલા અને હળવદની ડી વી રાવલ કોલેજ નજીક રહેતી ૨૧ વર્ષની યુવતીને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેથી મોરબી જીલ્લામાં નવા નવ કેસો નોંધાયા છે અને વધુ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે એક દર્દીનું મોત થયું છે

આમ રવિવાર સુધીમાં મોરબી જીલ્લામાં કોરોનાનો કુલ આંક ૧૭૪ થયો છે જેમાં ૭૨ એકટીવ કેસ છે જયારે ૯૧ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ૧૧ દર્દીના મૃત્યુ થયા છે.(

(1:18 pm IST)