Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગોંડલમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત : નવા છ કેસ નોંધાયા

નારાયણનગર,કૈલાશબાગ,આસોપાલવ સોસાયટી,મેડિકલ સંચાલક,ગાયત્રીનગર,માંડલ કુંડલામાં કોરોના કેસ

ગોંડલ: શહેર પંથકમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અત્રેના ગુંદાળા રોડ પર રહેતા પાનીબેન પરસોત્તમભાઈ ઠુમર (ઉ.વ. 75) નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મોત નિપજતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં અમિષાબેન કલ્પેશભાઈ જુલાસના (ઉ.40 ) નારાયણ નગર - ગોંડલ, ચંદુભાઈ નાનજીભાઈ ઠુંમર (ઉ. 61), કૈલાશબાગ - ગોંડલ, પ્રકાશભાઈ નાનજીભાઈ મકવાણા આસોપાલવ સોસાયટી, રાકેશકુમાર વ્રજલાલ વોરા (ૐ હોસ્પિટલ માં વંદન મેડિકલ સંચાલક) ( ઉ. 33 ) ગાયત્રી નગર - ગોંડલ, વ્રજલાલ નાથાભાઈ વોરા -(ઉ. 59)- ગાયત્રી નગર - ગોંડલ તેમજ ગોગનભાઈ રૂખડભાઈ પારખિયા (. 65) ગામ - માંડણકુંડલા અને તેમના પત્ની જમખુબેન ગોગનભાઈ પારખિયા ( ઉ.64 ) ગામ - માંડણકુંડલા ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો.
 

(11:05 pm IST)