Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ભાવનગરમાં આજે ૬૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જયારે ૩૮ દર્દીઓ બન્યા કોરોનામુકત તેમજ ૧ દર્દીનું થયું અવસાન

જિલ્લામાં નોંધાયેલા ર,ર૪ર કેસો પૈકી ૪૬૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર તા.૧૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૬૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ભાનગઢ ગામ ખાતે , સિહોર ખાતે , મહુવા ખાતે , મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે , ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે , પાલીતાણા ખાતે , તળાજા ખાતે , તળાજા તાલુકાના મણાર ગામ ખાતે , તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે , તળાજા તાલુકાના ભારાપરા ગામ ખાતે , તળાજા તાલુકાના રાજપરા નં. ગામ ખાતે , તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે , ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામ ખાતે , ઘોઘા તાલુકાના કંટાળા ગામ ખાતે , ગારીયાધાર ખાતે , ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે તેમજ ઉમરાળા ખાતે કેસ મળી કુલ ૨૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૧૦ એમ કુલ ૩૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર  ખાતે રહેતા કોરોના પોઝીટીવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ,૨૪૨ કેસ પૈકી હાલ ૪૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ,૭૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:03 pm IST)