Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

લાઠોદરામાં કાનાબાર પરિવારના સુરાપુરા શ્રી વશરામદાદાની અમાસની સાદાઇથી ઉજવણી

માળીયા હાટીના : કાનાબાર પરિવારના સુરાપુરા શ્રી વશરામદાદાના સ્થાનક લાઠીદ્રા ગામે દરવર્ષે ભાદરવી અમાસે શ્રાવણ માસના છેલ્લા દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે. બ્રહ્મભોજન સહિતના અનેક કાર્યક્રમો થાય છે. ૩૦૦ પરિવારોનું મહાપ્રસાદનું આયોજન થયુ હતુ. સવારથી સાંજ સુધી ભરચક કાર્યક્રમો યોજાય છે. પરંતુ કોરોનાની મહામારીને લીધે અમાસનો દિવસ ભુવાબાપા શ્રી કાંતિબાપા કાનાબારની હાજરીમાં સાદાયથી ઉજવાયો છે. કોરોનાની મહામારીને લીધે તમામ કાર્યક્રમો બંધ રાખ્યા છે એમ કાંતિબાપાએ જણાવેલ છે. સુરાપુરા દાદા શ્રી વશરામદાદાને રંગબેરંગી સુગંધી ફુલોનો આબેહુબ શણગાર કરેલ તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : મહેશ કાનાબાર)(

(12:05 pm IST)