Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલા ખાતે પીર સૈયદ ગુલામ અલી બાપુ કાદરીનો ઉર્ષ શરીફ શાનો શોકતથી ઉજવાયો

સાવરકુંડલા : ખાતે પીર સૈયદ દાદાબાપુના વાલીદ (પિતા) પીર ગુલામઅલિબાપુ કાદરીનો ઉર્ષ શરીફ શાનો શોકત થી ઉજવાયો હતો. કોમી એકતાના પ્રતીક અને વ્‍યસન મુક્‍તિના પ્રેણતા પીર સૈયદ  સરકાર અલ્‍હાઝ દાદાબાપુ કાદરીના વાલીદ (પિતા) ગુલામઅલિબાપુ કાદરીનું ઉર્ષ શરીફ નિમિતે સવારે કુરાન ખ્‍વાની દરૂદખ્‍વાની રાખવામાં આવેલ અને ત્‍યાર બાદ નિયાજ તકસીમ કરવા માં આવેલ તેમજ રાત્રે ઇશાની નમાજ બાદ નાત શરીફ અને ભારતના મશહૂર એવા અમીનુલ કાદરી સાહેબની શાનદાર તકરીરનો પ્રોગામ રાખવામાં આવેલ હતો. આ ઉર્ષ શરીફના પ્રોગામમાં સાદાતે કિરામ  ઉલમાં એ કિરામ તેમજ પીર સૈયદ.દાદાબાપુને ચાહવા વાળા હજારોની સંખ્‍યામાં હાજર રહી સવાબે દારીન હાસિલ કરેલ હતી. (તસ્‍વીર : અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા) 

(1:00 pm IST)