Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સરધારમાં વસંતભાઈ લીંબાસિયાની ત્રણ પેઢીનું સન્માનઃ ‘ચોથી’માંના નામથી દાન

રાજકોટઃ. કાગદડીના ભૂતપૂર્વ સરપંચ વૃંદાવન ડેરીવાળા વસંતભાઈ લીંબાસિયાએ સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં નવેય દિવસ હાજરી આપી કથા શ્રવણ અને સંત દર્શનનો લાભ લીધેલ. સમાપનના દિવસે તેમનું તથા તેમના સૂપૂત્ર મોહિતભાઈનું અને પૌત્ર ચિ. પર્વનું શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના હસ્તે સન્માન કરાયેલ. હરિભકત પરિવારની ત્રણ પેઢીનું એક સાથે સન્માન યાદગાર બનેલ. વસંતભાઈએ (મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫) સરધારમાં નિર્માણ પામનાર સ્વામિનારાયણ છાત્રાલયમાં પોતાના માતૃશ્રી ચોથીબેન લીંબાસિયાના નામથી એક રૂમ બાંધવા માટે દાન જાહેર કર્યુ છે.

 

(10:15 am IST)