Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ફરેણીધામથી સરધાર સ્વામિનારાયણ જ્યોત લઈ જવામાં આવી

ધોરાજીઃ સહજાનંદ સંસ્કારધામ-ફરેણી દ્વારા હાલ સરધારમાં ચાલી રહેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફરેણીથી સ્વામિનારાયણ જ્યોત લઈ જવામાં આવી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉંદ્ગમ બિંદુ કે જ્યાંથી સ્વામિનારાયણ શબ્દનો ઉંદ્ઘોષ સ્વયં ભગવાનના મુખેથી થયેલ એવું પ્રસાદીનું ધામ એટલે કે ફરેણી. આ જ્યોતમાં ૭૫ જેટલા વાહનોએ ભાગ લીધેલ જેમાં સંતો, પાર્ષદો તેમજ હરિભકતો જોડાયા હતા.

 

(10:16 am IST)