Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ભાવનગરના કવિ વિનોદ જોશીને સાહિત્ય સન્માન અર્પણ થશે

ભાવનગર, તા. ર૦:   વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ અપાતું મનુભાઈ પંચોલી 'દર્શક' સાહિત્ય સન્માન ૨૦૨૧ ના વર્ષ માટે ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીને આપવાનું જાહેર થયું છે. આ સન્માન તેમને સાવરકુંડલા ખાતે યોજાયેલ એક સમારંભમાં નવમી જાન્યુઆરીએ પૂ. મોરારી બાપુના  હસ્તે અર્પણ થશે. ભાવનગરના જાણીતા કવિ વિનોદ જોશીને આ જ વર્ષે એમના પ્રબંધકાવ્ય માટે સૈરન્ધ્રી માટે શ્રેષ્ઠ કવિતાનાં અને વિવેચનસંગ્રહ  નિર્વિવાદ માટે શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

(11:29 am IST)