Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

માટેલ શ્રી ખોડીયાર મંદિરે પૂનમ નિમિતે ભાવિકો ઉમટયા

બાવનગજ ધ્વજારોહણ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૨૦: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે તારીખઃ ૧૯ / ૧૨ / ૨૧ ને રવિવારના રોજ માગસરસુદ પૂનમ જે મોટી પૂનમ હોય માટેલધરા ખાતે આઇશ્રી ખોડિયાર માતાજીના દર્શનાથે દૂર દૂરથી હજારો ભાવિક, ભકતજનો પધારેલા હતા અને બાવનગજની ધજારોહણવિધિ  શ્રી કાંતિ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા બેન્ડપાર્ટીના તાલે  રાસ - ગરબા ની રમઝટ સાથે કરવામાં આવેલ હતી જે ધજાની ભવ્ય નગરયાત્રા માટેલથી મંદિર સુધી વાજતે ગાજતે બેન્ડપાર્ટી અને  ખોડિયાર માતાજી કી જય  ના નારા સાથે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે નીકળેલ હતી જે આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ના મંદિર ખાતે પહોંચી હતી જે શ્રી કાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ હિરાણી અને એમના ગ્રુપ ના બે હજાર ભાવિકો રાજકોટથી આવેલ હતા. આ ઉપરાંત પૂનમ અને રવિવાર હોય સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મોરબી, વાંકાનેર, રાજકોટ તથા દૂર દૂરથી ભાવિક ભકતજનો માટેલધરા ખાતે પધાર્યા હતા અને આઇશ્રી ખોડિયાર માતાજીનુ નિજ મંદિર આખું પુષ્પોથી શુભોષિત કરવામાં આવેલ હતુ તથા ફૂલોની રગોળી કરવામાં આવેલ હતી, નિજ મંદિરમા આઇશ્રી ખોડિયાર માત કી જય ના નારાથી વાતાવરણ ભકિતમય બની ગયેલ હતું. માટેલ મંદિર મા દર પૂનમ ભરવા દ્યણા યાત્રિકો દૂર દૂરથી માતાજી ના દર્શનાથે આવે છેં અને વિદેશથી પણ લોકો માટેલ મંદિરના ગ્રુપમા હજારો ભાવિકો માતાજીના દર્શન કરે છેં અને દેશ, વિદેશથી ભાવિકો અહીંયા આવે છેં તા, ૧૯ મીના રવિવારના રોજ માટેલધરા ખાતે હજારો ભાવિક, ભકતજનોએ માતાજીના દર્શનનો મંગળા આરતીનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો જય જયકારના ઘોષ સાથે ધજાવિધિ થયેલ હતી જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરાના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તથા વિશાલભાઈ દુધરેજીયાની યાદીમા જણાવાયું છે.

(11:52 am IST)