Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ જામનગર દ્વારા દરિયા કિનારાનું સફાઈ અભિયાન

જામનગર મ્યુનિસિપલ કમિશ્નરની પ્રેરક ઉપસ્થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૦ :. એનસીસી હેડ કવાર્ટર, નવી દિલ્હી દ્વારા પુનિત સાગર અભિયાન અંતર્ગત ભારતભરમાં વિવિધ સ્થળોએ દરીયા કિનારાનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૯-૧૨-૨૦૨૧ રવિવારના રોજ જામનગરમાં રોઝી પોર્ટ વિસ્તારમાં ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટના વિવિધ શાળાનાં કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોમાં દરિયા કિનારાની સ્વચ્છતા તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટિકની જીવનશૈલીના પ્રચાર અને સમજણનો છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી (આઈએએસ) દ્વારા આ કાર્યક્રમની ફલેગ ઓફ સેરેમની યોજવામાં આવી હતી અને કેડેટસને આ સુંદર કાર્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટના કમાન્ડીંગ ઓફિસર લેફટનન્ટ કમાન્ડર ઈશાન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

(1:19 pm IST)