Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જૂનાગઢ પોલીસે નિવૃત કર્મચારીને વ્યાજખોરના ત્રાસથી મુકત કરાવ્યા

જુનાગઢ, તા.૨૦: જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને એસટી વિભાગમાં નોકરી કરી, રિટાયર્ડ થયેલ સિનિયર સીટીઝન પોતાના ફેમિલી તથા દીકરા સાથે રહી, પોતાનું ગુજરાન ચલાવતા આ સિનિયર સીટીઝન તથા તેમના દીકરા રાહુલ (નામ બદલાવેલ છે) દ્વારા પોતાની જરૂરીયાતના કારણે તેમજ કોરોના સમયમાં નોકરી ના હોઈ, દસ જેટલા લોકો પાસેથી થોડા થોડા રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાય માં વ્યાજની રકમ વધતી જતી હોય, બે અઢી વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. સિનિયર સીટીઝન ના પુત્ર એવા અરજદાર રાહુલ દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની હાલત કફોડી હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, સામાન્ય રીતે માણસને નવો દિવસ ઉગે તો શાંતિ થાય પણ અરજદારના આખા કુટુંબને રાત વીતી દિવસ ઉગે તો, એમ થાય કે દિવસ કયા ઉગ્યો...? અરજદાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ કોઈ રસ્તો ના હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ તથા સ્ટાફ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, બધા વ્યાજખોરોને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. વ્યાજખોરો પૈકી બે વ્યાજખોર વધારે પડતા હોશિયાર હોઈ, અરજદાર પાસેથી લીધેલા ચેક ત્રાહિત વ્યકિતને આપી, રૂ. ૪.૫ લાખના ચેક રિટર્નની નોટિસ પણ મોકલવામાં આવેલ હતી. આ ત્રાહિત વ્યકિતને અરજદાર ઓળખતો પણ ના હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આ હોશિયાર વ્યાજખોર અને ત્રાહિત વ્યકિત ઉપર નમૂના રૂપ કાર્યવાહી કરવા તૈયારી કરી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, વ્યાજખોરો દ્વારા અરજદારને તેની પાસેથી લીધેલા ચેક, ચેક રિટર્ન ની નોટિસ અને લખાણના કાગળો તરત જ પરત પણ આપી, સોગંદનામું કરી, હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી તેવું લખાણ પણ આપી ગયેલ હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને પોતાના ચેક અને લખાણ પણ પરત અપાવતા, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભાર્રં વ્યકત કર્યો હતો. ચેક અને લખાણ પણ પરત મળતા, ખુશ થઈને ર્ંજો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યકત કરી હતી.

હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના ર્ંપોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા ર્ંલોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગર્મં ના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, વ્યાજખોરોને આપેલા ચેક અને લખાણ પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્ત્।રદાયિત્વ નિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે.

(1:27 pm IST)