Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગરમાં કોરોના થી એક દર્દીનું મોત અને ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૬૫ કેસો પૈકી ૩૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર  જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮ અને તાલુકાઓમાં ૧૮ કેસ મળી કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૫ કેસ પૈકી હાલ ૩૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૨ દર્દીઓનું અવસાન થયેલ છે

(8:08 pm IST)