Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

૨૦૨૪માં ભાજપ ૪૦૦ થી વધુ સીટો ઉપર જીતશે : કોંગ્રેસ-આપ સામે પ્રહારો કરતા રાઘવજીભાઇ પટેલ

ધ્રોલમાં વાંકિયામાં કૃષિમંત્રીના હસ્‍તે લાખોના વિકાસ કાર્યોનું ખાત મુહુર્ત-લોકાર્પણ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૧ : ધ્રોલ ના વાંકિયા ગામે કૂષીમંત્રી રાધવજીભાઈ પટેલ નુ ગાજતે વાજતે  સ્‍વાગત અને સન્‍માન કર્યુ. વાંકિયા ગામે રૂા.૧૫ લાખના ખર્ચ સંરક્ષણ દિવાલ નુ લોકાર્પણ કૂષીમંત્રી હાથે કરવામા આવ્‍યુ વાંકિયા ગામે લાખો રૂપિયા ના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવા મા આવ્‍યુ હતુ આતકે કૂષીમંત્રી રાધવજીભાઈ પટેલ કોગ્રેસ અને આપ ને આડા હાથે લીધા ૨૦૨૪ ની ચુંટણી મા ભાજપ ૪૦૦ થી વધુ સીટો જીતશે તેવુ રાધવજીભાઈ પટેલ જણાવ્‍યુ હતુ આપણા દેશના વડા-ધાન નરેન્‍દ્રભાઈ મોદી ૧૮ કલાક સુધી કામો કરછે..આવા આપણા ગુજરાત ના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીનો વિશ્વમાં ડંન્‍કો વાગે છે. તેવુ કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલ જણાવ્‍યુ હતુ અને વિરોધ પક્ષ પર આકરી ટકોર કરી આક્રરા પ્રહાર કર્યા હતા.. આતકે કૂષીમંત્રી રાધવજીભાઈ પટેલ, ઘોડસારા સાહેબ, ડાયાબાપા, ડી.ડી જીવાણી, પોલુભા જાડેજા, દેવકણભાઈ, રસીકભાઈ ભંડેરી, ભીમજીભાઈ મકવાણા, કે.પી ભીમાણી, જન્‍તીભાઈ કગથરા, ઉમેશભાઈ કગથરા, સહિત ના મહાનુભાવો ગામડાઓ ના લોકો મોટી સંખ્‍યા મા હાજર રહ્યા હતા.

(2:12 pm IST)