Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ધોરાજીમાં રમઝાન માસની ઉજવણી માટે મુસ્‍લિમોમાં અનેરો ઉત્‍સાહ

ધોરાજી,તા. ૨૧ : મુસ્‍લિમ સંપ્રદાયનો સૌથી વધુ દિવસ ચાલનારો તહેવાર એટલે કે રમઝાન માસનું તારીખ ૨૩ના રોજ સંભવિત ચંદ્ર દર્શન બાદ પ્રારંભ થશે. ૨૩ એ ચંદ્ર દર્શન બાદ રાત્રે પહેલી નમાજે તરાવી થશે અને તારીખ ૨૪ના રોજ પ્રથમ રોજો થશે.

સૈયદ શકીલ બાપુ સીરાજી મુફતી નવાજ યારે અલ્‍વી અને હાફિજ ઉંવેશ યારે અલવી એ જણાવેલ કે રમઝાન માસ એટલે કે નમાજ પઢી રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરી અને અલ્લાહને રાજી કરવાનો માસ એટલે કે રમઝાન આ માસની અંદરમાં મુસ્‍લિમો સવારે સૂર્યોદય પહેલા રોજુ બાંધે છે અને સાંજે સૂર્ય અસ્‍ત થયાના સમયે રોજો ખોલે છે સતત ૧૪ કલાક સુધી ધોમધખતા તાપમાં અનજળનો ત્‍યાગ કરી અને મુસ્‍લિમ અલ્લાહને રાજી કરવા માટે રોજા રાખતા હોય છે અને ધનવાન લોકો પોતાની યથાશક્‍તિ પ્રમાણે ગરીબ જરૂરિયાતમંદ બેવા અને મિસ્‍કીન લોકોને યથાશક્‍તિ પ્રમાણે મદદરૂપ થતા હોય છે.

રમઝાન માસની ઉજવણીના ભાગરૂપે તમામ મસ્‍જિદોને રોશનીના જગમગાટથી શણગારવામાં આવી છે રમજાન શરૂ થતાની સાથે જ મસ્‍જિદોમાં ઇફતાર સહિતના કાર્યક્રમો યોજાશે અને મસ્‍જિદો તિલાવતે કુરાનથી ગુંજી ઉઠશે. ધોરાજીમાં રમઝાન  માસની ઉજવણીને લઈને મુસ્‍લિમ સમાજમાં એક અનેરો ઉત્‍સાહ છે. ત્‍યારે બજારની અંદરમાં જેલી ફાલુદા શરબત સહિત અનેક ઠંડા ગરમ પીણાની ખરીદીની પણ ધૂમ જોવા મળી રહી છે.

આ તહેવાર નિયમિતે સૈયદ કયુંમ બાવા શીરાજી સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી સૌરાષ્ટ્ર કચ્‍છ મુસ્‍લિમ સમાજના આગેવાન હાજી ઈબ્રાહીમભાઇ કુરેશી તથા અફરોજભાઈ લક્કડકુટા અનવરસા બાપુ રફાઈ તથા રિયાઝ ભાઈ દાદાની આ તહેવારની મુબારક બાદ પાઠવી છે.

(10:51 am IST)