Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પાલિકાને જર્જરિત પાણીનો ટાંકો તોડવાનું કામ ન મળતા શ્રમિકોને ધમકી આપી : કેશોદની ઘટના

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧ : ત્રણ શ્રમિકોએ ફિનાઇલ પી આપઘાત માટે કરેલા પ્રયાસનાં મામલે મોડી સાંજે કેશોદના જાવિદ નાસના શખ્‍સ સામે ફરિયાદ થતા પોલીસ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના ખાપટ ગામનાં કિશોરભાઇ પુંજાભાઇ વાઘેલાએ કેશોદના જાવિદ સામે કરેલી ફરિયાદમાં જણાવેલ કે, પ્રદિપભાઇએ કેશોદની આલાપ કોલોની ખાતેનો જર્જરિત પાણીનો ટાંકો તોડવાનું કામ રાખેલ.

તા. ૧૯ની રાત્રે ૧૧:૩૦નાં અરસામાં જાવિદ નામનો શખ્‍સ આવેલ. તેને ટાંકો તોડવાનું કામ મળેલ ન હોય જેનુ મનદુઃખ રાખી જાવિદે કામ પડતુ મુકી જતા રહેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે ફરિયાદમાં આરોપીને ખંડણી માંગી હોવાનો કોઇ ઉલ્લેખ કરાયો નથી.

(12:58 pm IST)