Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દરિદ્રનારાયણની સેવા કાર્યનો એવોર્ડ મેળવતા જૂનાગઢ આસ્‍થા હોસ્‍પિટલના ડો.ચિંતન યાદવનું બાપા સીતારામ ગ્રુપ દ્વારા સન્‍માન

જૂનાગઢ : જૂનાગઢની આસ્‍થા હોસ્‍પિટલના ડો. ચિંતન યાદવને ગુજરાત રાજયના આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા દરિદ્રનારાયણની સેવા હેતુસરની ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ તેમને મોમેન્‍ટો અને સન્‍માન પત્ર આપી સન્‍માનિત કરવામાં આવેલા એ ગૌરવવંતી વાત છે. આ વાતને વધાવતા જુનાગઢ બાપા સીતારામ ગ્રુપના સંજયભાઈ વાઢેર, સુરેશભાઈ વાઢીયા, સંજય બુહેચા, રામદેવભાઈ ખેર, ભાવિન ઉદિપક, આશિષભાઈ ગિરનારા, આશિષભાઈ પંડ્‍યા, શ્રી સમીરભાઈ દતાણી, જીગ્નેશભાઈ બુધ્‍ધદેવ દ્વારા ડો. ચિંતન યાદવને સાલ ઓઢાડીને પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છા પાઠવી તેમની કામગીરીને બીરદાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:00 pm IST)