Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ખંભાળિયા તંત્ર દ્વારા સલામતિ નિરિક્ષણ

ખંભાળિયા : રોડ સેફ્‌ટી અંતર્ગત પોલીસ ,આરટીઓ તથા નેશનલ હાઈવે ઓથોરિટી વિ.  અધિકારીઓ દ્વારા સંયુક્‍ત માર્ગ સલામતી અંગે નિરીક્ષણ કરવામાં આવેલ હતું. જાખરથી પ્રકુરંગા નેશનલ હાઇવે ઉપર અકસ્‍માત નિવારવા અંગે પોલીસ અધિક્ષક દ્વારકાનાઓની સુચના  તથા ના.પો. અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા તથા એઆરટીઓ તથા  NHAI  તથા  G.R.infra. પ્રોજેકટ મેનેજર વિગેરે દ્વારા નેશનલ હાઈવે પર ડાયવર્ઝન વાળી જગ્‍યાએ તથા એકની એક જગ્‍યાએ વારંવાર અકસ્‍માત થતા અટકાવવા અંગે તથા અનઅધિકળત ગેપ ઇન મીડીયન દુર કરવા જરૂરી આગળની કાર્યવાહી કરવા તજવીજ તથા બ્‍લેક સ્‍પોટ  નિરીક્ષણ કરી માર્ગ અકસ્‍માત નિવારવા માર્ગ સલામતી સમિતિએ સંયુક્‍ત નિરીક્ષણ કરેલ.

(1:07 pm IST)