Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જુનાગઢમાં પુ.ભારતીબાપુની પુણ્‍યતીથીની સાધુ સંતોની ઉપસ્‍થિતિમાં ઉજવણી

જુનાગઢઃ ભારતી આશ્રમના બ્રહ્મલીનસંત મહામંડલેશ્વર પુ. વિશ્વંભર ભારતીજી મહારાજની દ્વિતીય પુણ્‍યતીથીની ભવનાથ ભારતી આશ્રમ ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પુ. ભારતી બાપુની સમાધીનું શાષાોકત વિધી સાથે હરીહરાનંદ ભારતી બાપુએ પુજન કર્યુ હતું. ત્‍યારે અખંડાનંદભારતી બાપુ પુ.મુકતાનંદબાપુ મહાદેવભારતી બાપુ હરીગીરી મહારાજ જુનાગઢના ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા મનોજભાઇ જોબનપુત્રા પાશ્વ ગાયક દિપક જોષી સહીતના એ પુ.ભારતીબાપુની સમાધીએ પુષ્‍પાંજલી અર્પણ કરી ભાવ વંદના કરી હતી અને બપોરે સાધુ સંતોનો ભંડારો મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી સહીતના કાર્યક્રમ યોજાયા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:03 pm IST)