Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જેતપુરમાં દર બીજા દિવસે પાણી વિતરણની જાહેરાત લોલીપોપ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૧ : છેલ્લા ઘણા વર્ષોથી દર ત્રીજા દિવસે પાલીકા દ્વારા પાણી વિતરણ કરાતુ હોય તેમાં થોડા દિવસ પહેલા વહીવટદાર દ્વારા સંચાલીત પાલીકા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે શહેરમાં દર ત્રીજા દિવસને બદલે બીજા દિવસે પાણી વિતરણ કરાશે. આવી જાહેરાતથી મહીલાઓમાં આંનદ વ્‍યાપી ગયો હતો. કેમ કે ઉનાળાની શરૂઆત થતી હોય પાણીનો વપરાશ વધે. અમુક લોકો પાસે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય પાલીકા દ્વારા દર બીજા દિવસે પાણી વિતરણ કરાય તો રાહત માટે પરંતુ માત્ર જાહેરાત થયેલ હોય દરેક લોકો બીજા દિવસે નળ આવવાની રાહ જોવે છે પરંતુ કોઇ ફેરફાર નહીં થતા આશા ઠગારી નિવડી છે. પાલિકા દ્વારા અપાયેલ લોલીપોપ કયારે પુરી થશે ?

(2:05 pm IST)