Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ધોરાજી નગરપાલિકાના સેવાભાવી કર્મચારીનું અવસાન થતા નેત્રદાન કરાયૂ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી નગરપાલિકા માં ફરજ બજાવતાં સેવાભાવી કર્મચારી શૈલેષભાઈ પટેલનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા સ્વ શૈલેષભાઈ ના નેત્ર નૂ દાન સરકારી હોસ્પિટલ ખાતે કરવા માં આવ્યું હતું
આ અંગે જીતેન્દ્રભાઈ પટેલ, હરેશભાઈ પટેલ સહિતના સ્વ શૈલેષ ભાઈના કૂટૂબીજનોએ જણાવ્યું હતું માનવ શરીરના નેત્ર દાન થકી અન્ય ની સેવા થઈ શકે અંધકાર દૂર કરવા માટે પરીવારજનો એ નેત્રદાન કરવા નૂ નક્કી કરી ને ધોરાજી ની  સરકારી હોસ્પિટલ ખાતે સ્વ શૈલેષ ભાઈના નેત્રનૂ દાન કરાયૂ છે આ તકે ડો સુરેન્દ્રસિંહ સેખાવત, ડો. રાજબેરા, જીતેન્દ્રભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, માજી નગરપતિ ડી.એલ.ભાષા, ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકીયા, અરવિંદભાઈ વોરા, દિનેશભાઈ વોરા સહિતના અગણી ઓ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:11 pm IST)