Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વાંકાનેરમાં ''સમસ્ત બ્રહ્મસમાજ કા રાજા'' ગણેશ મહોત્સવમાં અગ્રણીઓનું સન્માન

મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી અને મોરબીના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.૨૦ : દિવાનપરા સેટેચ્યુચોક પાસે સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરીત ''બ્રહ્મ સમાજ કા રાજા''ગણેશ ઉત્સ્વ ભકિખ્તભાવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાય રહ્યો છે. રવિવારે દુંદાળાદેવના વિર્સજન પહેલા વાંકાનેરના આ ગણેશ પંડાલ ખાતે વાંકાનેર અને મોરબી બ્રહ્મસમાજના અગ્રણીઓ અને મહારાજ રાજ સહીતના અગ્રણીઓ જુદા જુદા મંદીરના મહંતો, સંચાલકોનું શાલ -પુષ્પહાર થી સન્માન કરવામાં આવેલ.

''બ્રહ્મ સમાજ કા રાજા'' પંડાલમાં વિઘ્ન હર્તા દેવ શ્રી ગણેશજીને ૧૧૧૧ લાડુનો મહાથાળ અને મહાઆરતી બાદ આ પાવન પ્રસંગમાં ઉપસ્થિત ગાયત્રી શકિત પીઠના ટ્રસ્ટી અશ્વીનભાઇ રાવલ, રઘુનાથજી મંદિરના પ્રતિનીધી રેવાદાસ હરીયાણી, શ્રી નાગાબાવાજી જગ્યાના મહંત જગદીશગીરી બાપુ, ફળેશ્વર મહાદેવ મંદીરના સંચાલક વિશાલભાઇ પટેલ, જાગનાથ મહાદેવ મંદીરના મંદિર નિલેશગીરી બાપુ, વાંકાનેરના મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, ચીંતનભાઇ ભટ્ટ, જગદીશભાઇ ભટ્ટ, મોરબી પરશુરામ મંદીરના ટ્રસ્ટી મુકેશભાઇ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ અગ્રણીઓના હસ્તે વિધ્નહર્તા દેવનું  પુજન બાદ મહાઆરતી કરવામાં આવેલ ત્યારબાદ બ્રહ્મસમાજ અને અન્ય ઉપસ્થિત બહેનો-બાળાએ રાસની રમઝટ બોલાવી હતી. સંસ્કૃતિક કાર્યક્રમ બાદ ઉપસ્થિત અગ્રણીઓનું મોરબી જીલ્લાના બહ્મસમાજના વાંકાનેરના અગ્રણીઓ ભરતભાઇ ઓઝા, બાબુલાલ રાજગોર, વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝા, ઉપપ્રમુખ રાજુભાઇ ગઢવી, અમીતભાઇ ભટ્ટ, દુષ્યંતભાઇ ઠાકર, પ્રવિણભાઇ દાદલ, યોગેશભાઇ પંડ્યા, પુષ્કરભાઇ ત્રીવેદી સહીતના અગ્રણીઓના હસ્તે ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવેલ બ્રહ્મસમાજના આમંત્રણને માન આપી પધારેલા મયુરસિંહ ઝાલા (પટ્રોલ પંપ વાળા) અને રમેશભાઇનું પણ સન્માન કરવામાં આવેલ.

બીજા દિવસે રવિવારે દુંદાળા દેવનું પુજન કરી વડસર તળાવે વિર્સજન કરવામાં આવેલ. 

(10:56 am IST)