Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઉનામાં પુંજાભાઇ વંશે ધરણા કરીને સરકારની પોલ ખોલી

ઉના :ટાવરચોકમાં શહેર તાલુકા-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ કમિટિની આગેવાની હેઠળ સવારે ધારાસભ્‍ય પુંજાભાઇ વંસ.ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ હીરપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ડાભી, રાજુભાઇ જાદવ તથા શહેર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો એક દિવસના ભા.જ.પના ગુજરાત રાજયમાં ૨૭ વરસ દરમ્‍યાન  કરેલ ભ્રષ્‍ટશાસન, ખાનગી કંપનીઓને રાહત દરે જમીન, ગુજરાત રાજયમાં પોષ્‍કો ૧૧ હજાર કેસો સજામાથી ૨૭૬  કેસમાં ગુજરાતમાંસ્ત્રીઓ ઉપર વધતા બળાત્‍કાર, ગુજરાતમાં ૩ વરસમા ૩૭૦૬૩ બાળકો ગુમ થયા, ત્‍યારે સરકારે કાલ્‍પનીક વિકાસ પ્રજાને દેખાડી.ગુજરાત રાજયને દેવાળીયુ કરી નાખ્‍યુ ખાતરમાં અતીસય ભાવ વધારો, તથા ખોટા ખર્ચ કરી ભ્રષ્‍ટાચાર કર્યાના પુરાવા સાથે પ્રજાને જાગૃત કરેલ હતા હવે આવતા સપ્‍તાહે ૩ જો મુદ્દો પ્રજા સમક્ષ લાવી લોકોને ભા.જ.પ.નો અસલી ચહેરો પ્રજા સમક્ષ લાવશે. તેમ પુંજાભાઇ વંશે જણાવેલ છે. ધરણા કરાયા તે તસ્‍વીર

(12:08 pm IST)