Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કેશોદમાં લેઉવા પટેલ સમાજના શ્રેષ્‍ઠીઓ, નિવળત્ત કર્મચારીઓ અને ટ્રસ્‍ટીઓ સન્‍માનિત

કેશોદ : લેઉવા પટેલ કર્મચારી સેવા મંડળ આયોજિત સરસ્‍વતી સન્‍માન સમારોહ યોજાયો હતો જેમાં સ્‍વામી ધર્મબંધુજી નાં અધ્‍યક્ષતામાં ઉદઘાટક પુર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં. સરસ્‍વતી સન્‍માન સમારોહ માં કોરોનામાં કર્મચારી મંડળના પ્રમુખ મગનભાઇ ડોબરિયા સ્‍વર્ગવાસ થતાં તેમના માનમાં ઉભા રહી ૨ મીનીટ મૌન પાળવામાં આવ્‍યું હતું. કેશોદ શહેરમાં વસતાં ૨૨૪ વિદ્યાર્થીઓના સન્‍માન સાથે સાથે નિવળત્ત કર્મચારીનું સન્‍માન, સમાજના નવા ટ્રસ્‍ટીઓનું સન્‍માન, ર્બોડિંગના નવા ચૂંટાયેલા સભ્‍યોનું સન્‍માન, નગરપાલીકા ચૂંટાયેલા સભ્‍યોનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. કેશોદ લેઉવા પટેલ સમાજ કર્મચારી સેવા મંડળ નાં પ્રમુખ મગનભાઈ કુંભાણી સહિતના હોદ્દેદારો એ સરસ્‍વતી સન્‍માન સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેશોદ શહેરમાં વસતાં લેઉવા પટેલ સમાજના શહેરીજનો વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:19 pm IST)