Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભાવનગરઃ બે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને દરીયામાં ડુબાડી દઇને હત્યા કરવા અંગે પકડાયેલ કાકીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા .૨૧: બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસેથી એક મહિલાએ ઘરકંકાસની દાઝ રાખી સગા અઢી વર્ષના માસુમ ભત્રીજાનું રીક્ષામાં અપહરણ કરી ઘોઘા દરીયાકાંઠે લઇ જઇ બાળકને દરીયામાં ડુબાડી દઇ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાંખી હતી. આ અંગેનો કેસ અત્રેની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી મહિલા સામે હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફ્ટકારી હતી.

આ કામના આરોપી રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા ઉ.વ.૨૭, રહે. પ્લોટ નં . ૪૧ / ૧ / સી , શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસે, ભાવનગર તથા આ કામના ફરીયાદી ઇબ્રાહીમભાઇ રજાકભાઇ કાથીવાલા રહે . પ્લોટ નં . ૪૫૧ / સી, શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસે , ભાવનગર આરોપીના સગા જેઠ ની પત્નિ બંન્ને સગા દેરાણી - જેઠાણી થતા હોય અને તેઓને દ્યરકામ કરવા બાબતે ઝદ્યડાઓ થતા હોય અને તા . ૧૯/૦૯/૨૦૧૯ ના રોજ પણ બંન્ને વચ્ચે દ્યરકામ બાબતે બોલાચાલી થતા જેની દાઝ રાખી ફરીયાદી ના માસુમ દીકરા મહમદ ઉ.વ. સવા બે વર્ષ પોતાના દ્યર પાસે થી આરોપી મહિલાએ ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી રીક્ષામાં ઘોઘા મોટા પીરની દરગાહ પાસે દરીયાકાંઠે લઇ જઇ દરીયામાં નાખી દઇ ડુબાડી દઇ મોત નીપજાવી હત્યા કરી હતી . જે તે સમયે આ બનાવ અંગે ફરીયાદી ઇબ્રાહીમભાઇ રજાકભાઇ કાથીવાલાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા સામે ઇપીકો કલમ ૩૦૨, ૩૬૪, મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા ઇપીકો કલમ ૩૬૪ મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સજા અને રોકડ દંડ અદાલતે ફ્ટકાર્યો હતો . આરોપી મહિલા નામદાર કોર્ટમાં હાજર ન હોય વિડીયો કોન્ફરન્સ થી અદાલતે સજા સંભળાવેલ છે.

(11:02 am IST)