Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જુનાગઢમાં મહેન્દ્રભાઇ મશરૂએ વૃધ્ધાશ્રમનાં વડિલોને ગિરનાર રોપ-વેની યાત્રા-અંબાજી માતાજીના દર્શન કરાવ્યા

જુનાગઢ તા. ર૦: સ્વ. ચન્દ્રકાન્ત પોપટલાલ લાખાણી પ્રેરીત મહેન્દ્રભાઇ મશરૂ સંચાલિત સ્વ. શ્રી પોપટલાલ ગોવીંદજીભાઇ લાખાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ વૃધ્ધ નિકેતનના વૃધ્ધાશ્રમના વડીલોને ગીરનાર રોપ-વે યાત્રા કરાવી માં અંબાજીના દર્શન કરાવ્યા હતા. તેમજ વડીલોને રોપ-વે યાત્રામાં જતા પહેલાં સનાતન ધર્મશાળા ખાતે સવારે ચા-નાસ્તો તેમજ યાત્રા પૂરી કરીને નીચે ઉતર્યા બાદ દરેક વડીલોને બપોરે ભોજનની વ્યવસ્થા વણઝારી ચોક યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતી. ગીરનાર ઉપરમાં અંબાજીના દર્શન કરીને દરેક વડીલો ભાવવિભોર બન્યા હતા. અને આનંદની લાગણી અનુભવી હતી. આ તકે સર્વોદય બ્લડ બેંકના નલીનભાઇ આચાર્ય, અનીલભાઇ વ્યાસ, સમીર દીવાન, મહેશભાઇ વ્યાસ, બાલાભાઇ રાડા, મનિષભાઇ ગરેજા, શૈલેષભાઇ બદીયાણી, ખમીરભાઇ મજમુદાર, હિમાંશુ કારીયા, રવજીભાઇ ડાભી વગેરે સ્વયંસેવકો હાજર રહ્યા હતા ઉપરાંત વણઝારી ચોક ગરબી મંડળ દ્વારા આયોજીત ગરબી મંડળની બાળાઓને પણ ગીરનાર રોપ-વે દ્વારા માં અંબાજીના દર્શન કરાવવા યાત્રાને ફલેગ ઓફ આપી યાત્રાને પ્રસ્થાન મહેન્દ્રભાઇ મશરૂએ કરાવ્યું હતું.

(12:48 pm IST)