Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીના ભડિયાદ રોડ પાસેના વિસ્તારમાં એક જ રાતમાં બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા

તસ્કરો બન્ને મંદિર અને આંગણવાડીમાંથી કિંમતી સમાનની ચોરી ગયા

મોરબીના ભડિયાદ રોડ પાસેના વિસ્તારમાં એક જ રાતમાં બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો બન્ને મંદિર અને આંગણવાડીમાંથી કિંમતી સમાનની ચોરી ગયા હોવાની માહિતી મળી છે

મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા અને બે મંદિર ઉપરાંત આંગણવાડીને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં મોરબીના ભડીયાદ નજીક બોધનગર વિસ્તારમાં તસ્કરોએ હનુમાન મંદિર,સરમરિયા દેવના મંદિરના તાળા તોડી મંદિરનો ઘંટ અને અન્ય સામાન ચોરી ગયા હતા. તેમજ બૌધ્ધનગર પાસે આવેલ આંગણવાડીમાંથી પણ તસ્કરો રસોઇ બનાવવાના વાસણ ચોરી ગયા હોવાની માહિતી મળી છે તો  ચોરીની ધટના બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે તો મંદિરમાં ચોરીની ધટનાને પગલે લોકોમાં રોષ પણ વ્યાપી ગયો છે.

 

(10:59 pm IST)